" ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા
કબરો ઉધાડી જોયું તો ઈન્સાન નીકળ્યા "
- અમૃત ધાયલ
હજી તો 'ઈડનબગૅ યુનિવર્સિટી' માંથી મળેલી ડોક્ટરની પદવીને કબાટમાં સાચવીને મૂકી નથી ત્યાં તો Bollywood કિંગખાન , શાહરુખ ખાન પર દેશદ્રોહનાં પ્રચંડ પ્રહારો થવા લાગ્યાં. પળવાર માં જ દેશદ્રોહી બનાવી દેવામાં આમાંતે વળી કયાં સમય લાગવાનો છે !
પોતાના 50 માં જન્મદિવસે શાહરુખાને અસહિષ્ણુતાના મુદ્દે માત્ર વાત જ છંછેડી ત્યાં તો ફટાકડાનાં સ્ટોલમાં જાણે કોઈએ દીવાસળી મૂકી હોય તેંવો માહોલ સર્જાય ગયો.
દેશમાં ભડકાવ નિવેદનો પછીતો લાગે છે કે અસહિષ્ણુતાના માહોલ હતો નહિ પણ આ બન્યાઠણ્યાં નેતાઓનાં નિવેદનો બનાવી દેશે એવું લાગી છે.એમાં વળી ભાજપનાં નેતાઓને તો 'Spoken Twit ' ના ક્લાસ ચાલું કરવાની જરૂર છે કારણકે BJP નેતા 'અમીત શાહે' એટલાં ખખડાવ્યા તોય મન ફાવે એવા નિવેદનો આપતા અચકાતા નથી. અને એમાં વળી કોગ્રેસ તો જાણે વાટ જોઈને જ બેઠુ હોય તેમ BJP એ જેવી આંગળી આપે ત્યાં તો હાથ ગળી જાય. અને એમાં તડનુ ફડ કરવામાં મિડીયાંવાળાને તો કયા સમય લાગવાનો છે!
દેશમાં પ્રવતીઁ રહેલાં અસહિષ્ણુતાનાં વાતાવરણમાં 'દાદરી હત્યાકાંડ' , હરીયાણામાં દલીત બાળકો પર હુમલો , સાહીત્યકાર 'કુલબગીઁ' ની હત્યા , શિવસેના ની હઠ , દલીતોને કૂતરાઓ સાથેની સરખામણી આ બધા વચ્ચે ભાજપનાં નેતાઓ મન ફાવે તેમ Twit કરવા લાગ્યાં છે. સાહીત્યકારોની ઍવોડઁ પરત કરવાની નીતી પણ અનેક પ્રશ્નો ઉભાં કરે છે. પરંતુ જો ભારત બિનસંપ્રદાયીક અને લોકતંત્ર દેશ છે તોપછી ધર્મ અને કોમવાદને નામે એટલા બધી વાતાચંડી કેમ ?? હિન્દુ Vs મુસ્લીમ નું શિર્ષક શામાટે ? અને એમાં વળી આગમાં ધી હોમવામાં કયા સમય લાગવાનો છે !
BJP નેતા ' કૈલાસ વિજયવગીઁય ' Twit કર્યું કે " શાહરુખ રહેછે તો ભારતમાં પરંતુ તેનું મન પાકીસ્તાનમાં છે. તેની ફિલ્મો ભારતમાં કરોડો કમાય છે પરંતુ તે દેશને અસહિષ્ણુ માને છે" અને 'પ્રાચી' તો શાહરુખને પાકીસ્તાનો અજેન્ટ માને છે. તો પછી મારો પ્રશ્ન પ્રાચીજીને કે જો શાહરુખ પાકીસ્તાનો એજન્ટ છે તો દાઊદ તો એનો મિત્ર હશેને ? હે પ્રાચીજી ??
બસ આ વાત પાકીસ્તાનમાં રહેલાં માસ્ટરમાઈન્ડ , મુંબઇ હમલાના આરોપી હાફિઝ સઈદને આ વાત કાને પડી કે તરતજ એને શાહરુખને પાકીસ્તાનમાં રહેવાનું આમંત્રણ આપ્યું અને આ વાતને આગળ વધવામાં તો વળી કયાં સમય લાગવાનો !
જો ભારતની હિન્દુ મુસ્લીમ જેવાં કોમવાદમાં માનતી હોય તો શાહરુખાન આજે Bollywood નો કિંગખાન ન હોય અને સલમાન ખાન આજે Bollywood નો દબંગ ન હોય ! તો શું આ નેતાઓની અવળચંડાઈ કહેવાય કે તેઓના ભડકાવ નિવેદનો દેશને અસહિષ્ણુતાના માર્ગે ધકેલી મુકયો છે ?? અને આપણાં લોકલાડીલા વડાપ્રધાન તો મૌન ધારણ કરીશેજ કારણકે આવા વાતાવરણમાં જો તે કાઈ બોલ્યા તો તેની સીધી અસર બિહાર ચૂટણીં પર પડશે અને એમા અમીત શાહ માનવુ છે કે ભાજપ જો હારશે તો પાકીસ્તાનમાં ફટાકડા ફુટશે. અને હવે તો Twit કરીને પાછું લઈ શકાય છે અને ભાઈ ! આ Twit કરી પાછું લેવામા પણ કયા સમય લાગવાનો છે !
દાદરી અને હરીયાણામાં બનેલી ધટનાઓ , સાહીત્યકારોના એવૉડ પરત , એક અભિનેતા ને પાકીસ્તાની એજન્ટ અને દેશદ્રોહી કેહવો આ માહોલ વચ્ચે સરકાર દેશના નાગરીકો પ્રત્યે શું અભીગમ છે એતો સમય બતાવશે નહીતર આ વાતોના વડા કર્યા કરશે તો પછી બધા પાછલા મુદ્દોની જેમ જવામાં કયા સમય લાગવાનો છે!
No comments:
Post a Comment